Monday, February 24, 2025

આઈ.ટી.આઈ. જામનગર દ્વારા તા. ૨૫/૦૨/૨૦૨૫ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન થશે.

 


આઈ.ટી.આઈ.જામનગર દ્વારા તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં આઈ.ટી.આઈ. જામનગરના તાલીમાર્થીઓ અને સંસ્થાનો સમગ્ર સ્ટાફ ઉમળકાભેર ભાગ લેશે. 

રક્તદાન એ મહાદાન માનવામાં આવે છે ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેતા તમામને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ગીફ્ટો અને પ્રમાણ પત્રો પણ આપવમાં આવશે. 

તાલીમાર્થીઓ અને સ્ટાફમાં રક્તદાનને લગત જાગૃતિ કરવામાં આવશે. કાર્યક્રમ સવારે ૯:૦૦ કલાકેથી શરુ કરવામાં આવશે.